News of Saturday, 9th June 2018
મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુના નામ ઉપરથી જ
સરખેજ-ઉજાલા ચોકડી હવેથી શ્રી ભારતીબાપુ સર્કલના નામે ઓળખાશે
રાજકોટ : અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના છેવાડે આવેલા સરખેજ વોર્ડમાં વર્ષોથી ઉજાલા હોટેલ સર્કલ તરીકે જાણીતા બનેલા સર્કલનું નામ બદલીને પૂ. શ્રી ભારતીબાપુ સર્કલ નામાભિધાન કરવાનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે.
મ્યુનિ. ટાઉન પ્લાન કમીટીએ આ અંગેની દરખાસ્તને આખરી મંજૂરી પણ આપી દીધી છે. કમિટીના ચેરમેને જણાવ્યું કે, કોઇ હોટેલના નામે સર્કલનું નામ નામાભિધાન કરવું એ યોગ્ય નથી.સરખેજમાં આવેલો શ્રી ભારતીબાપુનો આશ્રમ એ સમગ્ર હિંદુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે અને આશ્રમના સ્થાપક પૂ. ભારતીબાપુ સૌના પ્રિય એવા સંતથ મહંત અને મહામંડલેશ્વર છે. તેથી કમીટીએ ઉજાલા હોટેલ સર્કલને નવું નામ 'શ્રી ભારતીબાપુ સર્કલ' આપ્યું છે અને તે સર્વદા ઉચિત પણ છે. (પ-૧૧)
(11:45 am IST)