ગુજરાત
News of Monday, 10th May 2021

બેચરાજીનું ચાંદણકી કોરોના મુક્ત : ગામમાં 100 ટકા રસીકરણ કરાયું

કોરોનાના પહેલા રાઉન્ડમાં 2 યુવાનોના મૃત્યુ થતા ગામે શીખ મેળવી: સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું

મહેસાણા જિલ્લાના બેચરાજીના ચાંદણકી ગામમાં કોરોનાનો એકપણ કેસ નથી. મહેસાણામાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે આ ગામ ઉદાહરણરૂપ બન્યું છે. આ ગામમાં કોરોનાના પહેલા રાઉન્ડમાં 2 યુવાનોના મૃત્યુ થતા ગામે શીખ મેળવી હતી. આ યુવાનોના મૃત્યુ બાદ ગામના લોકોએ તકેદારી વધારી દીધી હતી. ગામના લોકોએ કોરોનાને ધ્યાને લઈને સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું હતું. આ ગામના મોટાભાગના યુવાનો ફોરેનમાં વસવાટ કરી રહ્યા છે. ગામમાં માત્ર વૃદ્ધો જ રહે છે અને તમામ લોકોએ રસી લીધી છે. આ ગામમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

(11:53 pm IST)