ગુજરાત
News of Sunday, 9th May 2021

રાજ્યમાં કોરોનાના નવા 11,084 કેસ નોંધાયા :વધુ 14,770 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 121 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 8394 થયો : કુલ 5,33,004 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1,38,590 લોકોનું રસીકરણ કરાયું: સતત પાંચમા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ

અમદાવાદમાં 2955 કેસ,સુરતમાં 1113 કેસ,વડોદરામાં 1161 કેસ,રાજકોટમાં 746 કેસ, જામનગરમાં 586 કેસ, મહેસાણામાં 483 કેસ,જૂનાગઢમાં 484 કેસ, ભાવનગરમાં 375 કેસ, ગાંધીનગરમાં 270 કેસ,ભરૂચમાં 248 કેસ,પંચમહાલમાં 246 કેસ,ગીર સોમનાથમાં 211 કેસ, આણંદમાં 189 કેસ,દાહોદમાં 184 કેસ,કચ્છમાં 179 કેસ,ખેડામાં 161 કેસ, બનાસકાંઠામાં 143 કેસ, પાટણમાં 142 કેસ, અમરેલીમાં 141 કેસ,મહીસાગરમાં 140 કેસ,નવસારીમાં 110 કેસ,સાબરકાંઠામાં 108 કેસ, અરવલ્લીમાં 106 કેસ નોંધાયા : હાલમાં 1,39,614 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે રાજ્યમાં 11,84 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 14,770  દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 11,084 કેસ નોંધાયા છે જયારે વધુ 14,770 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 5,33,004 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી  121 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 8394  થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 78,27 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,39,614 એક્ટિવ કેસ છે, જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5,33,004 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 1,03,27,556 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 32,14,079  બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,35,41,635  રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં 18થી 44 વર્ષ સુધીના  13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝની રસીકરણ કરવામાં આવ્યું છે તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને  91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે  અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આડઅસર જોવા મળી નથી 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 11,084 કેસમાં અમદાવાદમાં 2955 કેસ,સુરતમાં 1113 કેસ,વડોદરામાં 1161 કેસ,રાજકોટમાં 746 કેસ, જામનગરમાં 586 કેસ, મહેસાણામાં 483 કેસ,જૂનાગઢમાં 484 કેસ, ભાવનગરમાં 375 કેસ, ગાંધીનગરમાં 270 કેસ,ભરૂચમાં 248 કેસ,પંચમહાલમાં 246 કેસ,ગીર સોમનાથમાં 211 કેસ, આણંદમાં 189 કેસ,દાહોદમાં 184 કેસ,કચ્છમાં 179 કેસ,ખેડામાં 161 કેસ, બનાસકાંઠામાં 143 કેસ, પાટણમાં 142 કેસ, અમરેલીમાં 141 કેસ,મહીસાગરમાં 140 કેસ,નવસારીમાં 110 કેસ,સાબરકાંઠામાં 108 કેસ, અરવલ્લીમાં 106 કેસ નોંધાયા છે 

(7:57 pm IST)