ગુજરાત
News of Sunday, 9th May 2021

કોવિડ હોસ્પિટલોને ૨૪ વેન્ટિલેટર આપતી એલ એન્ડ ટી કંપની

સુરતની ખાસ કોરોના માટેની હોસ્પિટલોને સુપ્રસિદ્ધ એલ એન્ડ ટી કંપની એ ૨૪ વેન્ટિલેટર દાનમાં આપ્યા છે.

કંપનીએ ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં અને સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, સુરત કલેકટર શ્રી ધવલ પટેલ, નવસારીના કલેકટર શ્રીમતી આર્દ્રા અગરવાલ સહિતના મહાનુભાવોની  હાજરીમાં આ વેન્ટિલેટર સુપરત કર્યા હતા.

(5:02 pm IST)