નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૮ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૪૧૪ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં દોલત બજારમાં ૦૧, રાજપુત ફળિયા માં ૦૧, રાજપીપળામાં ૦૧, અંબિકા નગરમાં ૦૧, બામણ ખડકીમાં ૦૧, દરબાર રોડ પર ૦૧ તથા નાદોદ વરખડમાં ૦૧, લાછરસમાં ૦૧, નાવરામાં ૦૧, વાઘડિયામાં ૦૧, વડીયામાં ૦૧, ગોપાલપુરા માં ૦૧ તથા ડેડીયાપાડા માં ૦૪, નીવાલદા માં ૦૧, સાબુટી માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૧૮ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૨૪ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૨૮ દર્દી દાખલ છે, આજે ૧૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૨૯૯ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૪૧૪ પર પહોચ્યો છે.આજે વધુ ૮૧૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.