શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળાનો ૫૦મો (સુવર્ણ) વાર્ષિક પાટોત્સવ ઉજવાયો
દેશ-વિદેશના હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ ૧૩ શુક્રવાર તા.૦૯/૦૪/૨૦૨૧ ના શુભ દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત
શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળાનો ૫૦મો વાર્ષિક પાટોત્સવ(સુવર્ણ પ્રતિષ્ઠા દિન) ઉજવવામાં આવ્યો હતો. ૫૦મા વાર્ષિક પાટોત્સવ પર્વે અન્નકૂટ દર્શન, કથા વાર્તા, આરતી; કાજુ , બદામ , પિસ્તા , દ્રાક્ષ, એલાયચી , અંજીર વગેરે સુકામેવાના વાઘા શ્રી ઘનશ્યામ મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા વગેરે નાદવંશીય પરંપરાને વાઘા ધારણ કરવામાં આવ્યા હતા. સરકારની ગાઇડલાઇન મુજબ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાવળા શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી, શ્રી શાતિનીલયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામીએ પાટોત્સવ વિધિ કરી હતી. દેશ-વિદેશના હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.