News of Friday, 9th April 2021
અમદાવાદમાં વધુ 35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા : પશ્ચિમ વિસ્તારની સ્થિતિ બની કફોડી
ગોતા, થલતેજ, નવરંગપુરા, ઘાટલોડિયામાં સતત વધતું કોરોના સંક્રમણ
અમદાવાદમાં સતત વધતાં કહેરના કારણે માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે વધુ 35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી 318 વિસ્તાર માઈક્રોકન્ટેઇનમેન્ટમાં છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને શહેરના પશ્વિમ વિસ્તારમાં જેવા કે ગોતા,થલતેજ, નવરંગપુરા, ઘાટલોડિયામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ વિસ્તારના ટેસ્ટિંગ ડોમ પર જોવા મળી રહી છે અને તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગ શરૂ થાય તે પહેલા જ લોકોની લાઈનો જોવા મળી રહી છે
(2:07 pm IST)