ગુજરાત
News of Thursday, 9th April 2020

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: લોક્ડાઉન દરમિયાન ડિટેઈન કરેલા વાહનો મુક્ત કરવા પોલીસ હેડ કોન્સટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા અપાઈ

અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થઈ રહેલ છે. આ લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ ડીટેઇન કરેલા વાહનો મુકત કરાવવા વાહન માલિકને પોલીસ તથા આર. ટી . ઓ .એમ બે કચેરીએ જવું ન પડે તથા સોયલ ડીસન્ટસીંગ પણ જળવાય તે હેતુથી લોકડાઉન દરમિયાન વાહન ડીટેઇન કરવાના ગુન્હાઓ સમાધાન શુલ્ક  લઇ વરીત નિકાલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે  જાહેરનામા દ્વારા  પોલીસ હેડ કોન્સટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી  છે તેમ વાહન વ્યવહાર વિભાગની યાદીમાં જણાવાયું છે .

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર રાજય સરકારે તા.૧૨/૦૯/૨૦૧૯ના જાહેરનામાથી ટ્રાફીક ગુન્હાઓ માંડવાળ કરવા માટેની માંડવાળ ફી ( સમાધાન શુલ્ક ) લેવાનું નક્કી કરાયું  છે . લોકડાઉન પીરીયડ દરમયાન ડીટેઇન થયેલા વાહનોના સબંધમાં આ જાહેરનામા હેઠળ માંડવાળ ફી લઇ શકાશે
અત્રે ઉલલેખનીય છે કે તા .૧ર/૦૯/૨૦૧૯ના જાહેરનામા પ્રમાણે દસ્તાવેજ રજુ કરવા ચેકીંગ મેમો આપ્યાથી ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે . આ દસ્તાવેજો ડીજીલોકરથી પણ રજુ કરી શકાય છે . દસતાવેજોની વેલીડીટી તા.૦૧/૦૨/૨૦૨૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ દરમ્યાન પુરી થઇ ગઇ હોય તો પણ ભારત સરકારના તા.૩૦/૦૩/૨૦૨૦ની એડવાઇઝરી મુજબ આ વેલીડીટી તા.૩૦/૦૬/૨૦૨૦ સુધી માન્ય ગણાય છે. સમાધાન શુલ્ક  અંગેની માહિતી અને દરની જાણકારી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીનીcot.gujarat.gov.in.વે

બસાઇટ પરથી મળી શકશે તેમ વધુમાં જણાવાયું છે.

 

(10:47 pm IST)