News of Thursday, 9th April 2020
મરકઝના વધુ એક વ્યક્તિ પોઝિટિવ રહેતા ચિંતા....
૧૨ લોકો પોઝિટિવ આવ્યા : રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા
અમદાવાદ, તા. ૯ : રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ નિઝામુદ્દીન મરકઝમાંથી આવેલા તબલીગી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૭ લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે; જે પૈકીના વધુ એક વ્યક્તિનો કેસ આજે પોઝિટિવ આવતા આ પોઝિટિવ લોકોની સંખ્યા ૧૨ ઉપર પહોંચી છે. આ સિવાયના તમામને હાલ કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અન્ય એક ગ્રુપ 'સુરા ગ્રુપ''ના લોકોના પરીક્ષણ અને તપાસની કામગીરી પણ ચાલુ છે.
(9:10 pm IST)