ગુજરાત
News of Thursday, 9th April 2020

સમસ્યાઓનું સમાધાન યુવાનોનું નવું સોપાન: કુંવારદ ગામના યુવાનોની અનોખી ઝુંબેશ :ગ્રામ પંચાયત અને યુવક મંડળે ગામની સુરક્ષાની જવાબદારી જાતે ઉઠાવી.

દેશની સરહદોની સુરક્ષા દેશના જવાનો કરશે:ગામની સરહદોની રક્ષા ગામના યુવાનો કરશે.

શંખેશ્વર : ગ્રામીણ યુવાનોએ સેવા અને સુરક્ષા ની નૈતિક જવાબદારી સ્વેચ્છિક રીતે સંભાળી છે .કોરોના વાયરસ સામે ની લડાઈમાં દેશ વ્યાપી લોકડાઉનને સફળ બનાવવા કુંવારદ ગામના યુવાનોની અનોખી ઝુબેશ ચલાવી છે
 જીવનમાં દરેકને સરહદ પર જઈ દેશની સેવા કરવાનો મોકો મળતો નથી, પણ અમને આજે કોરોના વાયરસની મહામારીના સમયે ગામની સરહદ સાચવવાનો મોકો મળ્યો છે જે માટે અમે બનતી સેવા આપી ગામ રાજ્ય અને દેશની સેવા કરવાનો આનંદ મેળવી રહ્યા છીએ, અને અમે એને એક નૈતિક ફરજ તરીકે નિભાવી રહ્યા છીએ, આ શબ્દો છે  શંખેશ્વર તાલુકા ના કુંવારદ ગામના એ યુવાનો ના જે આજે પોતાના ગામના રસ્તાઓ પર નાકાબંધી કરી  લોકોને બિન જરૂરી અવર - જવર કરતા  અટકાવી અને સમજાવી રહ્યા છે.
  સમગ્ર વિશ્વ આજે કોરોના નામક વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યું છે, જેની અસરના પગલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યુ છે, અને રાજ્ય તથા જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ ખાતું પણ આ લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવવા ખડેપગે કામગીરી કરી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામના યુવા સરપંચના નૈતૃત્વ હેઠળ યુવાનોની ટુકડી ગામની રક્ષા માટે કાર્યરત છે. જેમની મહેનત અને સેવાથી ગ્રામ્ય કક્ષાએ નિયમોનું ચુસ્ત પાલન થાય જેથી આ દેશવ્યાપી લોકડાઉનનું પાલન થાય તે માટે ગામના  રસ્તાઓ પર યુવાનો નાકાબંધી કરી પહેરેદારી કરી રહ્યાં છે. કુંવારદ ગામના યુવાનો દ્વારા રસ્તાઓ પર પહેરેદારી ની વ્યવસ્થા કરવામાં આવી છે, અને લોકોને બિનજરૂરૂ ગામમાં પ્રવેશ કરતા કે ગામમાંથી બહાર જતા અટકાવવામાં આવે છે.
 એક તરફ કોરોના વાયરસની મહામારીના કારણે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તથા આરોગ્ય વિભાગ સતત ખડેપગે સંનિષ્ઠ કામગીરી કરી રહ્યું છે, ત્યારે આવા સમયે કુંવારદ ગામના યુવાનો પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેથી આ વિકટ પરિસ્થિતિમાં સરકારને મદદરૂપ બની લોકડાઉનને સફળ બનાવી સકાય જે કાર્ય ખરેખરે બીજા ગામો અને સરપંચો માટે પ્રેરણા સ્ત્રોત છે.
 આ સમયે ગામના સરપંચ હસમુખભાઈ લકુમ સાથે ફોન પર વાત કરતા તેમણે જણાવ્યું કે પાટણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ શંખેશ્વર ના તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન માં હું અને મારી પંચાયતના તમામ સભ્યો સાથે યુવક મંડળ ગામ લોકોના હિતમાં કાર્ય કરી રહ્યા છીએ ગામની સુરક્ષા ઉપરાંત અમે સરકારની યોજનાઓને સુ વ્યવસ્થિત રીતે ગામમાં લાગુ કરી રહ્યા છીએ જેમાં ખાસ ગરીબ વંચિત અને જરૂરિયાત વારા પરિવારોને પ્રાથમિકતા આપી અત્યારનાં સમય ને ધ્યાનમાં રાખી લોકોને જરૂરિયાત મુજબ મદદરૂપ બની રહ્યા છીએ અને આવા પ્રેરણારૂપ કાર્યો કરવા માટે અમને રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપેલી લીડર ની તાલીમ ખૂબ ઉપીયોગી થઈ રહી છે   તેવું જણાવતા તેમણે કહ્યું કે આગેવાનો ની સાચી પરખ ખરાબ સમય માં થાય છે સારા અને સામાન્ય જીવનમાં તો બધા આગેવાન બનતા હોય છે પણ તકલીફ અને સમસ્યાના સમયમાં જે નેતૃત્વ કરે તે સાચા આગેવાનોનું એક લક્ષણ છે.
તકલીફ ને તક સમજો
આફત ને અવસર બનાવો
સમસ્યાને સમાધાન માં પરિવર્તિત કરો
મુસીબત નો મુકાબલો કરો
દુઃખને સુખ બનાવે એ સાચા અને સારા આગેવાનો કહેવાય. બસ અમે આ બાબતને ધ્યાનમાં રાખી કાર્ય કરી રહ્યા છીએ જે લોક ઉપિયિગી સાબિત થશે એવી અમને આશા છે..

(7:00 pm IST)