News of Thursday, 9th April 2020
તલોદમાં ગ્રામ્ય વિસ્તારમાં અડધો ડઝન જેટલા વેપારીઓએ બરોક્ટોક દુકાનો ખુલ્લી રાખનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી
તલોદ: શહેરમાં કોરોના વાયરસની મહામારીના લોકડાઉનના સમયગાળામાં પણ પોતાની દુકાનો બેરોકટોક ખુલ્લી રાખી, વેપલો કરતા તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના અડધો ડઝન જેટલા વેપારીઓ સામે તલોદ પો.સ્ટે.ન પ્રો. નાયબ પોલીસ અધિક્ષક હિતેષકુમાર ધાંધલ્યો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વેપારીઓએ કલેકટરના હાલના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું નોંધાવા પામેલ છે.
તલોદ પોલીસે મંગળવારે તલોદ તાલુકાના હરસોલ, વાવડી, રતનપુર અને તલોદના કેટલાક વેપારી મથક ઉપર ત્રાટકીને કલેકટરના જાહેરનામાનાં ભંગ કરી વેપાર કરતા વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી.
(5:37 pm IST)