ગુજરાત
News of Thursday, 9th April 2020

ગુજરાતમાં ચાર દિવસમાં કોરોનાના કેસ બમણા : વધુ છ લોકોના મોત : મૃત્યુ આંક 17એ પહોંચ્યો

5મી એપ્રિલે 122 કોરોના પોઝિટિવ કેસ હતા જે વધીને 241 લોકો સંક્રમિત

રાજકોટ : ગુજરાતમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે ,આજે સવારે રાજ્યમાં વધુ 55 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં એકલા અમદાવાદમાં જ 50 કેસ વધ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં સેમ્પલ પરીક્ષણ વધતા આંક વધતો જાય છે તેમ મનાય છે

રાજ્યમાં ગત 5મી એપ્રિલે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 122 હતી અને કોરોનાએ 11 લોકોનો જીવ લીધો હતો જયારે આજે સવાર સુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 241 થઇ છે આમ છેલ્લા ચાર દિવસમાં કોરોના સંક્રમીતોની સંખ્યા બમણી થઇ છે જયારે છેલ્લા ચાર દિવસમાં વધુ છ લોકોના મોત થતા મૃત્યુઆંક 17 થયો છે

(11:57 am IST)