ગુજરાત
News of Tuesday, 9th April 2019

ભરૂચના નર્મદા કાંઠે વસેલા જાગેશ્વર ગામે બે ડોલ્ફિન માછલી તણાઈ આવી :એકનું મોત

એક ડોલ્ફીનને સ્થાનિકોએ જીવિત હાલત માં દરિયામાં પુન: છોડી હતી.

ભરૂચ :જિલ્લાના નર્મદા કાંઠે વસેલા જાગેશ્વર ગામે બે ડોલ્ફીન માછલી તણાઈ આવી હતી. જેમાં એક મૃત હાલતમાં જયારે એક ડોલ્ફીનને સ્થાનિકોએ જીવિત હાલત માં દરિયામાં પુન: છોડી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમય થી નર્મદા નદીમાં પાણી ની ઉણપ ના કારણે જળચર જીવો ને જીવવું દુસ્વાર થઈ રહ્યું છે. ત્યારે અતિ દુર્લભ કહેવાતી ડોલ્ફીન માછલી દરિયામાંથી નદીના ઓછા પાણીમાં તણાઈ આવતા જાગેશ્વર ગામમાં કુતુહલ સર્જાયું હતું, અને ડોલ્ફીનને જોવા લોકટોળા ઉમટયા હતા. નદીના ઓછા પાણી ન કારણે એક ડોલ્ફીન નું મોત થયું હતું જ્યારે એક ડોલ્ફીનને ગ્રામજનો દ્વારા બચાવી લઈ દરિયાના ઉંડા પાણીમાં પુન: છોડવામાં આવી હતી.

(8:07 pm IST)