ગુજરાત
News of Tuesday, 9th March 2021

નર્મદા જીલ્લાના શિવમંદિરો માં શિવરાત્રી ના મેળા કોરોના ગાઇડલાઇન મુજબ બંધ રહેશે

જીતનગર નંદીકેશ્વર મંદિરમાં મર્યાદિત ભક્તો પુંજારીઓ પૂજા કરી શકશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં આવેલ શિવ મંદિરો માં શિવરાત્રી નિમિત્તે ભરાતા મેળા બંધ રહેશે તેમજ પૂજાવિધિમાં પણ ભીડભાડ વિના માર્યાદિત ભક્તો ભાગ લઇ શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલ કોરોના ગાઇડલાઇન અમલ માં હોય મંદિરો માં ધાર્મિક કાર્યક્રમો મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. જેમાં રાજપીપળા નજીક પુરાણ પ્રસિદ્ધ જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં શિવરાત્રી નિમિત્તે ભરાતો મેળો બંધ રહેશે તથા દેશ વિદેશના ભક્તો ધાર્મિક પૂજા માટે આવતા હોય છે તેમાં પણ કોરોના ગાઇડલાઇન મુજબ ધાર્મિક પૂજા વિધિ સીમિત રાખવા માં આવી છે માત્ર પુજારીઓ અને ટ્રસ્ટી મંડળ પૂજા કરી શકશે. અન્ય ભક્તો માત્ર દર્શન કરી શકશે મંદિર માં રહેઠાણ સમૂહપ્રસાદી ભોજન બંધ રહેશે તેમ મંદિર ના વિરલભાઈ જણાવે છે  જણાવેછે

(10:35 pm IST)