ગુજરાત
News of Thursday, 8th March 2018

સુરતમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડી 400 લોકો બન્યા ભોગ;મહિલા સહિત બેની અટકાયત

સુરત:સુરતમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનાં નામે છેતરપીંડીની ઘટના બહાર આવી છે મુખ્યમંત્રીનાં નામ સાથે જોડાયેલ આવાસ યોજનામાં લોકો પાસેથી 20 લાખની છેતરપીંડી કરાઇ છે.જેમાં લગભગ 400 લોકો છેતરપીંડી ભોગ બન્યા હોવાનો અંદાજ છે મુખ્યમંત્રી આવાસ યોજનાનામાં આવાસ આપવાનાં નામે 50 -50 હજારનાં ચેક લીધા હવાની ફરીયાદ ઉઠી રહી છે.

  સુરતનાં રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો પોલીસ દ્રાર મામલે ત્વરીત કાર્યવાહી કરી રાંદેર પોલીસે એક મહિલા સહિત બેની અટકાયત કરી છે.

(12:12 am IST)