આણંદની ગ્રીડ ચોકડી નજીક સર્જાયેલ અકસ્માતમાં રીક્ષા ચાલકે એક્ટીવાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું ઘટનાસ્થળેજ મોત
આણંદ :જિલ્લાના ગ્રીડ ચોકડી પાસે એક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં એક પિયાગો રીક્ષા ચાલકે રસ્તામાં એક્ટીવા લઈ જતી યુવતિને બચાવવા જતા રોડના ડિવાઈડર પર રીક્ષા ચઢાવી પલ્ટી ખવડાવી દીધી હતી. આ ઘટનામાં રીક્ષા ચાલકનું કરુણ મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં આણંદ સીટી પોલીસના જણાવ્યા મુજબ બુધવારે બપોરના સુમારે ગ્રીડ ચોકડી નજીક એક વાહન અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક પિયાગો રીક્ષા નંં જીજે ૭ વાયવાય ૦૦૦૮ના ચાલક મગનભાઈ ડાહ્યાભાઈ પરમાર રહે દાવલીયાપુરા નડીઆદ દ્વારા તેની રીક્ષા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી હતી.આ રોડ પર રસ્તો ક્રોસ કરતી એક્ટીવા ચાલક યુવતિને બચાવવા જતા રીક્ષા રોડ પર ડિવાઈડર સાથે અથડાવવામાં આવી હતી. આ જેથી રીક્ષા પલ્ટી ખાઈ જતા અંદર બેઠેલ ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં આણંદ સીટી પોલીસ મથકે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.