News of Thursday, 8th March 2018
અગમ્ય કારણોસર વિદ્યાનગરમાં પુરુષે ઝાડ પર લટકી આપઘાત કર્યો
આણંદ:જિલ્લાના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી બાગ નજીક આવેલ બસસ્ટેન્ડ પાસે એક અપમૃત્યુના બનાવે ચકચાર મચાવી હતી. એક પુરુષે અગમ્ય કારણોસર ઝાડ સાતે પ્લાસ્ટીકની દોરી બાંધી ટૂંપો લઈ જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનામાં વિદ્યાનગર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લીધી હતી. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વિદ્યાનગર તાબે શાસ્ત્રીબાગ નજીક બસસ્ટેન્ડ પાસેના એક ઝાડ સાથે લટકેલ પુરુષનો મૃતદેહ મળી આવતા લોકો સ્થળે એકત્રીત થયા હતા. વિદ્યાનગરમાં આવેલ અક્ષર બિલ્ડીંગ પાસે કનુભાઈ હારાભાઈ માછી ઉ.વ.૬૫ની હોટલ આવેલ છે. તેઓ આજ રોજ વહેલી સવારે ઘરેથી નિકળી ગયા હતા. ઉક્ત સ્થળે પ્લાસ્ટીકની દોરી ઝાડ પર બાંધી તેમને ગળે ટૂંપો લઈ જીવનનો કરુણ અંત આણ્યો હતો.
(5:58 pm IST)