ગુજરાત
News of Friday, 9th February 2018

કલોલના શેરથા પાસે કારની ટક્કરે એક્ટિવા સવાર શિક્ષિકાનું કરૂણમોત

અકસ્માત સર્જી કારચાલક પલાયન ;શાળા ન,4ના શિક્ષિકા જશુબેનના મોતથી ઘેરા શોકની લાગણી

   કાલોલના શેરથા પાસે કારની ઠોકરે એક્ટિવા સવાર શિક્ષિકાનું કરૂણમોત નીપજ્યું છે આજે સવારે એકટીવા લઈને પસાર થઈ રહેલ શિક્ષિકાના એકટીવાને સામેથી આવી રહેલ કારએ ધડાકાભેર ટકકર મારતા થયેલ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા શિક્ષિકાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. અકસ્માત બાદ કારનો ચાલક ઘટના સ્થળે કાર મૂકી પલાયન થઈ ગયો હતો. શિક્ષિકાના મોતને પગલે શાળા પરિવાર તથા તેમના કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે

  આ અંગેની વિગત મુજબ ચાંદખેડામાં વારીનાથ ચોક પાસેના ઓમ બંગ્લોઝમાં રહેતા જશુબેન ચતુરભાઈ રાઠોડ (ઉ.વ.આ.પ૬) શાળાનં. ૪ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.આજ સવારના સમયે તેઓ ઘરેથી પોતાનું એકટીવા નં. જી.જે. ૧ સી ઈ ૩૩૪૭ લઈને સ્કૂલે આવવા નીકળ્યા હતા ત્યારે તેઓ ૧૦:ર૬ એ શેરથા હાઈવેના ર્સિવસ રોડ પરથી પસાર થઈ રહયા હતા ત્યારે સામેથી આવી રહેલ વેગનઆર કારનં જી.જે. ૧ કે ડી ૬૩૮૦ ના ચાલકે એકટીવાને ધડાકાભેર ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમા એકટીવા પર સવાર જશુબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું.       અકસ્માતની જાણ ટોલટેક્ષના ઈમરજન્સી સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને પી.એમ માટે ગાંધીનગરની સીવીલમાં લઈ જવામાં આવી હતી અને કારને ક્રેઈનની મદદથી રસ્તા પરથી દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો

(8:39 pm IST)