News of Wednesday, 8th December 2021
પ્રતાપપરા ગામમાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું
(ભરત શાહ દ્વારારાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પ્રતાપપરા ગામમાં એક યુવાને કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું.
મળતી માહિતિ મુજબ અવિનાશભાઈ તુલસીંગભાઈ વસાવા (ઉવ ૩૦)( રહે પ્રતાપપરા)નાઓએ તા.૩૦/૧૧/ ૨૦૨૧ એ પ્રતાપપરા ગામે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર રાજપીપલા સીવીલ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે એસએસજી હોસ્પીટલ વડોદરા ખાતે રીફર કરેલ જયા સારવાર દરમ્યાન તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ તેનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:11 pm IST)