અમદાવાદમાં તંત્ર, મંત્રના નામે બે બહેનને ફસાવી તાંત્રિકે દુષ્કર્મ આચરી નાણા પણ પડાવ્યા
અમદાવાદઃ તંત્ર મંત્રના નામે બે બહેનને ફસાવી કહેવાતા તાંત્રીક દોલતરામ સુથારે દુષ્કર્મ આચરીને રૂ. પાંચ લાખ જેવી રકમ પડાવી લીધી હતી.
વાડજ વિસ્તારમાં રહેતી અને સુભાષબ્રીજ પાસેના ફલેટમા કામ કરતી ૩પ વર્ષની મહિલાને ઘાટલોડીયામા રહેતા દોલતરામ સુથાર નામના શખ્સ સાથે ઓળખણ થઇ હતી દોલતરામે તાંત્રીક હોવાનુ કહીને મહિલાને તમારા ઘરમા ઘણી બધી આત્માઓ રહે છે જો વિધિ નહી કરાવો તો સત્યનાશ થઇ જશે. તમારા માતા મરી જશે તેવી વાત કરી હતી.
તાંત્રિકની માયાજાળમાં ફસાયેલી મહિલાએ પ્રથમ તેના ઘરમા વિધિ કરાવી હતી. બાદમાં શાંત જગ્યાએ વિધિ કરાવવાનું કહીને મહિલાને રિવરફ્રન્ટ લઇ ગયો હતો. અને કાલુપુર ગેસ્ટહાઉસમાં લઇ ત્યાં તાંત્રિક વિધિનુ નાટક કર્યુ હતુ મેલી વસ્તુ પકડતાી નથી શરીર સંબંધ બાંધવો પડશે તેમ કહીને મહિલા પર દુષ્કર્મ આચરી વીડીયો કલીપ ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપીને મહિલાની બહેનને પણ વાસનાનો શિકાર બનાવેલ અને રૂ. પાંચ લાખની રકમ પણ પડાવી લીધી હતી.