મહેમદાવાદના ઘોડાસર નજીકમાં 17 વર્ષીય નાસતો આરોપી રંગેહાથે ઝડપાયો
મહેમદાવાદ: તાલુકાના ઘોડાસર તેમજ નજીકના વિસ્તારોમાં ૧૭ વર્ષ અગાઉ થયેલ કોમી રમખાણનો નાસતો ફરતો આરોપીને આજરોજ મહેમદાવાદ પોલીસે તેના ઘરમાંથી જ દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સને ૨૦૧૨ના ગોધરા હત્યાકાંડના પ્રત્યાઘાત રૂપે મહેમદાવાદ પો.સ્ટે વિસ્તારના ઘોડાસર તથા જીંજર વિસ્તારમાં ફાટી નીકળેલા કોમી રમખાણમાં આરોપી તરીકે મહેમદાવાદ પોલીસમાં ગુનો દાખલ થયો હતો. જેમાં સંડોવાયલો રામસિંહ ઉર્ફે રામાભાઈ શકરાભાઈ ચૌહાણ ૧૭ વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાશતો ફરતો હતો. દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, ૧૭ વર્ષથી નાસતો ફરતો રામસિંહ પોતાના ઘોડાસર મુકામે આવેલ ઘરે આવ્યો છે જેના આધારે પોલીસની ટીમે રામસિંહના ઘરને ચારે બાજુથી કોર્ડન કરી છાપો મારતાં તે ઘરમાંથી દોટ મુકી ખેતરના રસ્તે ભાગ્યો હતો. જો કે પોલીસની ટીમે તેને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.