સોમવારે અલ્પેશ કથીરીયા જેલ મુકત થશેઃ પાસ દ્વારા વિજય સરઘસ
સુરત તા.૮: પાસ કન્વીનર હાર્દિક પટેલ અલ્પેશને મળવા માટે લાજપોર જેલ પહોચ્યો હતો પરંતુ જેલ અધિકારીઓએ મુલાકાતની પરવાનગી આપી ન હતી. જે બાદ હાર્દિક પાસના કાર્યકરો સાથે અલ્પેશ કથીરીયાના ઘરે પહોંચ્યો હતો.
હાર્દિક પટેલ પાસના કાર્યકર્તાઓ સાથે સુરતમાં આવેલા અલ્પેશ કથીરીયાના ઘરમાં તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. બાદમાં સુરત પાસની મીટીંગનુ઼ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલ્પેશને જેલમાં નિકળ્યા બાદ પાસ દ્વારા મોટું સરઘસ કાઢવાનું આયોજન કરવામાં આવશે. પાસના કાર્યકર્તાઓ અલ્પેશના ઘરે આવ્યા બાદ ઉજવણી કરશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશની જેલ મુકિત માટે પાસ અને એસપીજી દ્વારા મોટાપાયે આંદોલન ચલાવવામાં આવ્યું હતું.
સોમવારે અલ્પેશ કથીરીયા જેલમાંથી છુટશે. જે પછી પાસના કાર્યકર્તાઓ સાથે તે વિજય સરઘસ સાથે ઘરે પહોંચશે. જે બાદ અલ્પેશ પોતાના પરિવારને મળીને કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટિ જશે. ત્યાંથી તે સીધો કાગવડ દર્શન કરવા જશે. (૧.૧૪)