ગુજરાત
News of Friday, 8th October 2021

રાજ્યમાં કોરોનાની વિદાય નિશ્ચિત : નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 22 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.085 :કુલ 8.15.838 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજયમાં આજે વધુ 4.30.094 લોકોનું રસીકરણ કરાયું

વલસાડમાં 5 કેસ, સુરત અને અમદાવાદમાં 4-4 કેસ, રાજકોટ અને જૂનાગઢમાં 2- 2 કેસ, જામનગર અને વડોદરામાં 1- 1 કેસ નોંધાયો : હાલમાં 176 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 19 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  22 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 19 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 22 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.838 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એક દર્દીનું મોત થયું છે,આજે એકપણ  દર્દીનો કૉરોનથી મૃત્યુ થયું નથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.085 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4.30.094 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.37.58.795 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 176 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 લોકો વેન્ટિલેટર પર અને 172 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.816  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી રાજયમાં કુલ મૃત્યુઆંક 10.085 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 19 કેસમાં વલસાડમાં 5 કેસ, સુરત અને અમદાવાદમાં 4-4 કેસ, રાજકોટ અને જૂનાગઢમાં 2- 2 કેસ, જામનગર અને વડોદરામાં 1- 1 કેસ નોંધાયો છે

(7:41 pm IST)