ગુજરાત
News of Friday, 8th October 2021

વડોદરાના કપૂરાઈ બ્રિજ નજીક એ.પી.એમ.સી. માર્કેટ પર રસ્તો ઓળંગતા શાકભાજી વેપારીનું કમકમાટીભર્યું મોત

વડોદરા: શહેરના       કપુરાઇ બ્રિજ થી એે.પી.એમ.સી. માર્કેટ વચ્ચેના  હાઇવે પર  ચોવીસ કલાકમાં થયેલા બે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે.જે અંગે પોલીસે તપાસ  હાથ ધરી છે.

તરસાલીથી કપુરાઇ બ્રિજ ચઢતા પહેલા સુરતથી અમદાવાદ જતા રોડ પર એક વ્યક્તિની લાશ પડી હતી.જેની જાણ  વાડી પોલીસને કરવામાં આવતા  વાડી  પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,કોઇ અજાણ્યા વાહને મૃતકને અડફેટે લેતા તેનું માથું ફાટી ગયુ હતું.મૃતકની ઉંમર આશરે ૫૦ વર્ષની છે.અને તેણે શરીરે રાખોડી કલરની ટી શર્ટ પહેરી હતી.વાડી  પોલીસે મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

જ્યારે અન્ય એક બનાવમાં અમદાવાદથી સુરત તરફ જવાના  રોડ  પર એ.પી.એમ.સી.માર્કેટ પાસે અજાણ્યા વાહનની અડફેટે ૪૩ વર્ષના યુવાનના માથા તથા પેટના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયુ હતું.જે અંગે એલ એન્ડ ટી કંપનીના રૃટ ઓફિસરે પોલીસને જાણ કરતા બાપોદ પોલીસે તપાસ હાથ ધરી મૃતકની ઓળખ માટે ગુમ થયેલા  વ્યક્તિઓની તપાસ હાથ ધરી  હતી.તે દરમિયાન મૃતકનું નામ પ્રકાશ રામકિશન કનોજિયા (રહે.અમૃતનગર સોસાયટી,લક્ષ્મીપુરા રોડ) હોવાનું જણાયું હતું.પ્રકાશ કનોજિયા શાકભાજીનો વેપાર કરતો હતો.અને સવારે રોડ ઓળંગતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત થયુ હતું.અકસ્માત સમયે શાકભાજીની કેરેટ તેના હાથમાં જ હતી.

(6:14 pm IST)