ગુજરાત
News of Saturday, 8th September 2018

સુરત પાલિકા-પોલીસે તાપી નદીમાં ગણેશ વિસર્જન પર મુક્યો પ્રતિબંધ

સુરત :ગણેશ વિસર્જનને લઈને સુરત શહેર પાલિકા અને પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તાપી નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા 17 કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોટી પ્રતિમાઓ માટે દરિયાના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે.

(8:29 pm IST)