7 અને 8 ઓગસ્ટ 2006માં સુરતમાં કોઇપણ જાહેરાત કર્યા વગર તાપીનું પાણી છોડાતા 80 ટકા વિસ્તાર જળબંબાકાર થયો હતો
સુરતના ઇતિહાસમાં સૌથી ભયાનક પુર હોનારતને યાદ કરીને આજે પણ લોકોમાં ભયનો માહોલ સર્જાય જાય
સુરતઃ સુરતમાં 16 વર્ષ પહેલા તાપીના પાણી તબાહી મચાવી પુર હોનારત સર્જાયુ હતુ. તંત્ર દ્વારા કોઇપણ જાણ કર્યા વગર 9 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડાતા સુરત શહેર 80 ટકા જળબંબાકાર થઇ ગયુ હતુ. આજે લોકો યાદ કરતા ભયાનક પુરની યાદ અપાવે છે.
આમ તો સુરત અને આફત શબ્દ એકબીજાના પર્યાય છે. એવી કોઈ આફત અને વિનાશ બાકી નહિ હોય જે સુરતે જોયુ નહિ હોય. પરંતુ 16 વર્ષ પહેલા સુરતમાં એવુ આફત આવ્યુ હતું કે સુરતમાં તબાહી જોવા મળી હતી. સુરતમાં આકાશમાંથી એવો વરસાદ પડ્યો હતો, કે આખા સુરતમાં તબાહી ફેલાઈ હતી. આજનો 8 ઓગસ્ટનો એ દિવસ સુરતીઓ ક્યારેય નહિ ભૂલે, જ્યારે સુરત પાણીમાં ગરકાવ થઈ ગયુ હતું. આજે એ ગોઝારા દિવસને યાદ કરીને જુઓ સુરતના પૂરે મચાવેલી તબાહીના દ્રશ્યો.
7 અને 8 ઓગસ્ટ 2006 ના દિવસે ઉકાઇ ડેમમાંથી કોઇપણ વોર્નિંગ વગર તાપી નદીમાં 8થી 9 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડી દેવાતા શહેરનો 80 ટકા વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો. લોકોએ સતત ત્રણ દિવસ સુધી રાતાપાણી એ રડવાનો વખત આવ્યો હતો. એ દિવસો યાદ આવતાં આજે પણ સુરતીઓના રૂંવાડા ઉભા થઈ જાય છે.
આ પૂર સુરતના ઈતિહાસનું સૌથી ભયાનક પૂર ગણાય છે. ચારે તરફ પાણી હતું, લોકોને ક્યાં જવુ, શું ખાવુ એ સમજાતુ ન હતું.
પરંતુ સુરતીઓના સાહસને કારણે તેઓ આ આફતમાંથી નીકળીને જલ્દી જ બેઠા થઈ ગયા હતા.