ગુજરાત
News of Monday, 8th August 2022

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શુભેચ્‍છા મુલાકાત લેતા રાજયપાલ આચાર્ય દેવવ્રત

નવી દિલ્‍હી : ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્‍હી ખાતે ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને નવા કાર્યભાર માટે શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્‍ટ્રપતિ ભવન, નવી દિલ્‍હી ખાતે ભારત સરકારના સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા યોજાયેલી આઝાદી કા અમૃત મહોત્‍સવની રાષ્‍ટ્રીય સમિતિની બેઠકમાં પણ રાજયપાલ  દેવવ્રતજી ઉપસ્‍થિત રહ્યા હતાં.

(1:38 pm IST)