કાળુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શને
SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો
અમદવાદ તા.૮ આજથી ૨૦૦ વર્ષ પૂર્વે, સર્વધર્મના સમન્વય રુપે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જ અમદાવાદ, ભૂજ, વડતાલ, જૂનાગઢ, ધોલેરા અને ગઢપુરમાં ભવ્ય મંદિરો કરાવી, અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ, ભૂજમાં શ્રી નરનારાયણ દેવ, ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, જુનાગઢમાં શ્રી રાધારમણ દેવ અને ધોલેરામાં શ્રી મદનમોહનજી મહારાજ પધરાવેલ છે.
તેમાં ભારતમાં પ્રથમ અમદાવાદના હ્રદયસમા કાળુપુર વિસ્તારમાં નરનારાયણ દેવ પધરાવેલ છે. તે નરનારાયણ દેવના, આ વરસે SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં નૂતન દાખલ થયેલ વેદના ઋષિકુમારોએ વેદના ગાન સાથે દર્શન કર્યા હતા. અને સાથે સાથે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે પધરાવેલ ચમત્કારિક ઘનશ્યામ મહારાજ તેમજ ભગવાન શ્રીસ્વામિનારાયણ જયાં ઉતરતા તે પ્રસાદભૂત રંગ મહોલ, ભવ્ય સભામંડપ વગેરેના દર્શન કર્યા હતા