ગુજરાત
News of Thursday, 8th August 2019

સુરતના વરાછામાં ગૃહ કંકાસથી કંટાળી પતિએ પત્ની સહીત ત્રણ સંતાન પર એસિડ છાંટ્યું

સુરત:વરાછા વિસ્તારમાં આજે વહેલી સવારે આધેડે મીઠી નિંદર માણી રહેલા ત્રણ સંતાન અને તેમની પત્ની પર એસિડ છાંટતા ચકચાર મચી ગઈ હતી. દાઝેલા 3 સંતાન અને તેમની માતાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ વરાછા રોડ પર અર્ચના સ્કુલ પાસે હરિધામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય હંસાબેન છગનભાઈ વાળા, તેમની 18 વર્ષીય પુત્રી અલ્પા, તથા 25 વર્ષીય પ્રવીણા અને 21 વર્ષીય પુત્ર ભાર્ગવ આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ઘરમાં નિદ્રા માણી રહ્યા હતા ત્યારે હંસાબેનના પતિ છગનભાઈએ તેમની પત્ની અને ત્રણ સંતાન પર એસિડ છાટ્યુ હતુ. જેને લીધે તેઓએ બચાવો બચાવોની બૂમો પાડી હતી અને દાઝી ગયા હોવાથી ખૂબ જ પીડા થતી હતી.

(5:57 pm IST)