News of Wednesday, 8th August 2018
કટોકટીના વિરોધ અને લોકશાહીના રક્ષણ માટે લડવૈયા તરીકે કરુણાનિધિ હંમેશા યાદ રહેશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
અમદાવાદ ;તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના અધ્યક્ષ એમ,કરુણાનિધિના દુઃખદ નિધનથી શોકનો માહોલ છવાયો છે કરુણાનિધિના નિધનથી દેશભરના નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરુણાનિધિના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે કરુણાનિધિ કટોકટીના વિરોધ માટે અને દેશમાં લોકશાહીના મૂલ્યોના રક્ષણ માટે એક લડવૈયા તરીકે હંમેશા યાદ રહેશે
(12:40 am IST)