ભિલોડા નજીક દુકાનમાં અગમ્ય કારણોસર યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કરી લેતા ચક્ચાર મચી જવા પામ્યો
ભિલોડા:તાલુકાના માંકરોડા ગામના તેજસભાઈ સળુભાઈ મોડીયા(ઉ.વ.૩૦) મૂળ રહે.વાંકડા,તા.વિજયનગરની ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા પાસે પોતાની દુકાન આવેલી છે.જેઓ નિત્યક્રમ મુજબ ધંધા ઉપર આવન-જવાન કરતા હતા.પરંતુ સોમવારના રોજ પોતાની દુકાનમાં કોઈપણ કારણોસર દુકાનમાં પંખા સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો જેથી તેઓનું મોત નીપજયું હતું.અચાનક બનેલી ઘટનાની આસપાસ ના દુકાનદારોને માલુમ પડતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટયા હતા અને તરેહ-તરેહ ની ચર્ચાઓએ જોર પકડયું હતું.
માંકરોડા ગામના ૩૦ વર્ષિય યુવાનનો મૃતદેહ દુકાન માંથી મળી આવતા અરેરાટી વ્યાપી હતી.જયારે ગામમા આ સમાચાર વાયુવેગે મળતાં ગામમાં ગમગીની છવાઈ હતી.૩૦ વર્ષિય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ હતી.આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે આવી લાશને નીચે ઉતારી પંચનામુ કરી કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાશને મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે કુલદીપભાઈ સળુભાઈ મોડીયા (ઉ.વ.૨૫) રહે.માંકરોડા,તા.ભિલોડા નાઓએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.