ગુજરાત
News of Saturday, 8th June 2019

અમદાવાદના વસ્ત્રાપુરમાં છૂટાછેડા થઇ જતા યુવકે ગોળીમારી મોતને વ્હાલું કર્યું

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં રહેતા યુવકે રિવોલ્વરમાંથી લમણમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. થોડા સમય પહેલા તેના છુટાછેડા થયા હતા જેને કારણે તે ડિપ્રેશનમાં રહેતો હોવાથી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, એમ વસ્ત્રાપુર પોલીસે જણાવ્યું હતું. રિવોલ્વર મૃતકના પિતાની હતી અને તેનુ લાયસન્સ હોવાનું પોલીસે વધુમાં કહ્યું હતું.

વસ્ત્રાપુરમાં સનરાઈઝ પાર્ક સોસાયટીમાં જુનના રોજ બપોરે બનાવ બન્યો હતો. જેમાં અહીં રહેતા ગુરમીતસિંગ ઉજવલસિંગ ઢીંગરા (૪૪) ૧૨ બોરની વેબ્લી સ્કોટ રિવોલ્વર વડે લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. બનાવ સમયે ગુરમીતસિંગનો પુત્ર રણબીર ઘરે હાજર હતો.

(5:28 pm IST)