કામરેજના વેલંજામાં પુત્ર સાથે પરિણીતાને ત્રાસ ગુજારી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
કામરેજ:તાલુકાના વેલંજા ગામે રામવાટિકા સોસાયટીમાં રહેતી પરિણિતાને સુરતના કતારગામ ખાતે માનસી રેસીડન્સીમાં રહેતા પતિ, સાસુ-સસરા અને નણંદે શારીરિક - માનસિક ત્રાસ આપી પાંચ વર્ષના પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકતા પરણિતાએ તમામ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેલંજા ગામે રામવાટિકા ખાતે રહેતા બાબુભાઇ બેચરભાઇ કુંજડીયાની દિકરી ગાયત્રીના હિરેન માધવજીભાઇ ગોળકીયા (રહે. માનસી રેસીડન્સી, કતારગામ, સુરત) સાથે ૨૦-૧૧-૨૦૧૮ના રોજ વતન ભડીયાદ (પીર) તા. ધંધુકા, જિ. અમદાવાદ ખાતે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ થોડા સમય પછી ગાયત્રીને સાસુ કંચનબેન અને ત્રણ નણંદો જલ્પા, ગોપી અને શ્વેતા ઘરકામની બાબતમાં મ્હેણા-ટોણાં મારી ઝઘડો કરતા હતા. ગાયત્રી પતિ હિરેનને કહેતા તે માતા અને બહેનનો પક્ષ લઇ ગાયત્રીને મારઝુડ કરતો હતો.