હિંમતનગરના કાટવાડમાં બે મકાનમાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી 2.66 લાખની ચોરીને અંજામ આપ્યો
હિંમતનગર:તાલુકાના કાટવાડ ગામે આવેલા બે અને ખ્વાઝાનગરમાં આવેલા બે મકાનમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજે રૃા.૨.૬૬ લાખની મત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી. કાટવાડ ગામના જગદીશભાઈ ગાભાભાઈ વણકરે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તા.૬ જૂનની રાતે અજાણ્યા શખ્સોએ ઘરના પાછળના ભાગે આવેલા લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી રૃા.૩૦ હજાર રોકડ, રૃા.૧.૦૭ હજારના સોનાના દાગીના મળી અંદાજે રૃા.૧.૩૭ લાખની મત્તાની ચોરી કરી ભાગી ગયા હતા ઉપરાંત આ અજાણ્યા શખ્સોએ ગામમાં રહેતા પ્રકાશકુમાર કરશનભાઈ વણકરના ઘરમાથી પણ રૃા.૨ હજાર રોકડની ચોરી કરી લઈ ગયા હતા જે અંગે જગદીશભાઈ વણકરે બુધવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.