ગુજરાત
News of Saturday, 8th May 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરના કલોલ તાલુકાના આરસોડિયા ગામના 'કોવિડ કેર સેન્ટર"ની મુલાકાતે

રાજકોટ:::મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરના  કલોલ તાલુકાના આરસોડિયા ગામના 'કોવિડ કેર સેન્ટર"ની  મુલાકાતે આવ્યા હતા.

“મારુ ગામ કોરોનામુક્ત ગામ” અભિયાન હેઠળ કોવિડ કેર સેન્ટરનું રૂબરૂ નિરીક્ષણ કરીને ગામ લોકો સાથે કોરાનાની સ્થિતિ અંગે સંવાદ કર્યો હતો.આ મુલાકાત વેળાએ ગ્રામ વિકાસ કમિશનર શ્રી વિજય નહેરા, જિલ્લા કલેક્ટરશ્રી કુલદીપ આર્યા સહિત ગામના આગેવાનો - નાગરિકો  કોરાના ગાઈડલાઇનનું  સંપૂર્ણ પાલન કરીને ઉપસ્થિત રહ્યા હતા.

(1:57 pm IST)