News of Saturday, 8th May 2021
જિઓરપાટી ગામમાં પાણીપુરીનો લારી ઉપર વધુ માણસો ભેગા કરનાર સામે ગુનો દાખલ થયો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામમાં પાણીપુરીની લારી ચલાવતા વ્યક્તિએ પોતાની લારી ઉપર વધુ માણસો ભેગા કરતા ગુનો દાખલ થયો હતો.
મળતી માહિતી મુજબ વિજયભાઇ વિષ્ણુભાઇ ત્રિવેદી જીઓરપાટીએ પોતાની પાણીપુરીની લારી ઉપર છ માણસો ભેગા કરેલ હોય જે અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા રાજપીપળા પોલીસે જાહેરનામા ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરી છે.
(1:25 pm IST)