News of Wednesday, 8th May 2019
કલોલમાં જોગણી માતાના મંદિર નજીક વિફરેલી ગાયનો આતંક:વૃદ્ધાને શિંગડું મારતા મોત
કલોલ:કલોલમાં જોગણી માતાના મંદિર પાસે આવેલા ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં વિફરેલી ગાયે આતંક મચાવ્યો હતો. ગાયે શિંગડા ભરાવી વૃદ્ધાને ગંભીર ઘાયલ કરી દેતાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. તેમજ બે યુવાનોને પણ ગાયે બચકા ભરતાં બેને યુવાનોને સારવાર માટે ખસેડાયા હતા.
આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભારોફાર રોષ ફાટયો છે. ત્યારે નગરપાલિકા તંત્ર રખડતાં ઢોરો પકડવાની કોઇ વ્યવસ્થા નહિ કરાવતું હોવાથી તંત્ર સામે પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
(5:37 pm IST)