ગુજરાત
News of Thursday, 8th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં વધુ એક કોરોના ગ્રસ્ત આધેડ પુરુષનું મોત : નવા રાઉન્ડમાં ચારના મોત થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં રાજપીપળાના વડીયા પેલેસ ખાતે આવેલી કોવીડ હોસ્પિટલ અને કેર સેન્ટર્ ખાતે દર્દીની સંખ્યા સતત વધી રહી છે.જેમાં આ સિઝનની શરૂઆતમાં કોરોનાથી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ દંપતીના મોત બાદ ડેડીયાપાડાના એક આધેડનું મોત થયું ત્યારબાદ આજે પણ એક આધેડનું મોત નીપજ્યું છે.આમ આરોગ્ય વિભાગે આપેલા આંકડા મુજબ કોરોનાની આ સીઝનમાં અત્યારસુધી કુલ ચારના મોત થયા છે.

 જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સીઝનમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કુલ પાંચ ના મોત થયા છે છતાં અગાઉની જેમ તંત્ર અત્યારથી જ મોત ના આંકડા છુપાવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે.

(10:22 pm IST)