ગુજરાત
News of Thursday, 8th April 2021

કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા અને વાલોડ ગામના સરપંચ જ્યોતિબેન નાયકાનું કોરાનાની સારવાર દરમિયાન મોત : ગામલોકોમાં ફેલાઈ ગમગીની

સુરત : ગુજરાતમાં કોરાના વાયરસએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં ભાજપના નેતા પછી હવે કોંગ્રેસના નેતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

તાપીમાં વાલોડ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચ નિધન થયું છે. કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકાનું સારવાર દરમ્યાન નિધન થતાં તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફરી વળી છે.

(9:38 pm IST)