ગુજરાત
News of Thursday, 8th April 2021

રાજ્યના શહેરોમાં હાહાકાર મચાવનાર કોરોના ગામડામાં ઘુસ્યો : અનેક ગામડાઓ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવા લાગ્યા

જુનાગઢના મજેવડીમાં સ્વેચ્છાએ લોકડાઉન: વંથલીના સાંતલપુરમાં 8 દિવસનુ લોકડાઉન: કેશોદના બામણાશા 15 દિવસનુ લોક ડાઉન જાહેર : ખંભાલીયામાં પણ આજે સાંજે 4 વાગ્યા પછી લોકડાઉન : સ્વયંભૂ લોકડાઉન કરતા નગરો અને ગામો

અમદાવાદ : રાજ્યમાં કોરનાના કેસ રોજ નવો રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે શહેરો બાદ હવે ગામડાઓમાં પણ આ આતંક પહોંચી ગયો છે જેને પગલે એક પછી એક ગામના લોકો સ્વંભૂ લોકડાઉન આપી રહ્યા છે.

 જુનાગઢના મજેવડીમાં સ્વેચ્છાએ લોકડાઉન આપ્યુ છે. જ્યારે વંથલીના સાંતલપુરમાં 8 દિવસનુ લોકડાઉન જાહેર કરાયુ છે. કેશોદના બામણાશા 15 દિવસનુ લોક ડાઉન જાહેર કર્યુ છે એટલુ જ નહીં પણ ખંભાલીયામાં પણ આજે સાંજે 4 વાગ્યા પછી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

રાજકોટમાં પણ વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું નક્કી કર્યુ છે. રાજકોટના હડાલા ગામ આજથી 15 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ છે. દુકાનો સવારે 2 કલાક જ ખુલ્લી રહેશે. ગ્રામજનો દ્વારા સ્વંયભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

(10:56 am IST)