ગુજરાત
News of Thursday, 8th April 2021

રાજ્યના જળ સંપતિના સચિવ એમ કે જાદવનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

રાજ્યના જળ સંપતિના સચિવ એમ કે જાદવનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ગાંધીનગર :કોરોનાના કાળા કહેરની સચિવાલયમાં એન્ટ્રી થઈ છે. રાજ્યના જળ સંપતિ ના સચિવ એમ કે જાદવની કોરોના રિપોર્ટ પોજીટીવ  આવ્યો છે, રિપોર્ટ પોજીટીવ આવ્યા બાદ તેમણે જાતે પોતાના નિવાસસ્થાને જ સારવાર લઈ રહ્યા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, હાલ તેમની તબિયત સ્થિર છે, અને ચિંતાની કોઈ વાત નથી. પરંતુ, સચિવાલયમાં આવી રીતે ઉચ્ચ અધિકારીને કોરોનાનું ચેપ લાગી જતાં તેમના સમાચાર આખા રાજ્યમાં વીજળીની ગતિએ ફેલાઈ ગયા છે.

સચિવ એમ કે જાદવની સાથે રહેલા લોકોએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાના કોરોના ટેસ્ટ કરાવ્યા છે. અને જ્યાં સુધી રિપોર્ટનો પરિણામ ન આવે ત્યાં સુધી તેઓ પોતાને અન્ય લોકોથી દૂર રાખી રહ્યા છે.

(11:42 pm IST)