News of Thursday, 8th April 2021
રાજપીપળા સિવિલમાં દાખલ બીમાર વ્યક્તિને ટ્રાફિક બ્રિગેડના જવાને લોહી આપી જીવતદાન આપ્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક બિમાર વ્યક્તિને લોહીની જરૂર જણાતા આ બાબત રાજપીપલા પો.સ્ટે ખાતે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાન વિપુલભાઈ ઈશ્વરભાઈ એ આ બિમાર દર્દીને લોહી આપી માનવતા દેખાડી હતી જેથી દર્દીના પરિવારે આ જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે નર્મદા જીલ્લા ટ્રાફિક વિભાગે પણ આ જવાનની માનવતા સભર આ કામગીરી બિરદાવી હતી.
(10:50 pm IST)