ગુજરાત
News of Thursday, 8th April 2021

નર્મદા જિલ્લામાં કોરોનાએ માથું ઊંચક્યું : બુધવારે ૨૨ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૩૭૫ પર પહોંચ્યો

(ભરત શાહ) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં પુરાણી પાર્કમાં ૦૧, અંબિકાનગર માં ૦૧, દોલત બજારમાં ૦૧, બાવાગોર ટેકરીમાં ૦૧, હરસિધ્ધિ માતા મંદિર માં ૦૧, રાજપુત ફળિયા માં ૦૧ તથા નાંદોદના આમલેથા માં ૦૨, ગોપાલપુરા માં ૦૧, લાછરસ માં ૦૧, ગુવારમાં ૦૧, વરખડ માં ૦૨, વડીયામાં ૦૧ તથા ગરુડેશ્વર ના કેવડિયામાં ૦૧, સંજરોલી માં ૦૧ તથા તિલકવાડામાં ૦૨, વઘેલી માં ૦૧ તથા દેડિયાપાડાના ગાજરગોટા માં ૦૧, ડેડીયાપાડા માં ૦૧ તથા સાગબારા ના સેલંબા માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૩૯ દર્દી દાખલ છે, આજે ૨૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૨૬૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૩૭૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૦૪૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:44 pm IST)