News of Wednesday, 8th April 2020
મરકઝના તમામ ૧૨૭ લોકોના ટેસ્ટ કરાયા....
૧૧ લોકો પોઝિટિવ આવ્યા : શિવાનંદ ઝા
અમદાવાદ, તા. ૮ :રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ મરકઝ,નિઝામુદ્દીનમાંથી આવેલા તબલીગી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ -૧૨૭ લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી કુલ-૧૧ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના તમામને હાલ કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ વિસ્તારના અન્ય લોકોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે જેથી કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું.
(8:48 pm IST)