News of Monday, 8th March 2021
અમદાવાદના જુહાપુરામાં ધોળાદિવસે તસ્કરો ત્રાટક્યા : તિજોરીનું તાળું તોડીને સોના ચાંદીના દાગીના સહીત 9.72 લાખની ચોરી કરી ફરાર
અકબર ટાવર પાસે આવેલી બોસ્તાન સોસાયટીના મકાનમાં ચોરી : વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ
અમદાવાદના જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે આવેલી બોસ્તાન સોસાયટીના મકાનમાં તસ્કરોએ સાંજના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી ઘરના દરવાજાનો નકુચો તોડીને અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ઘરમાં તિજોરીને તોડીને અંદર રહેલા સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરીને અજાણી વ્યક્તિ પલાયન થઈ ગઈ હતી.
સાંજના સમયે જ્યારે ઘરના વડીલ સાબિર ભાઈ સૈયદ ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારે તેમણે ઘરના હાલને જોતા તેમણે તિજોરી ચેક કરતા તેમને ખ્યાલ આવ્યું હતું કે ઘરમાંથી સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ છે.તેથી તેમણે આ મામલે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
(11:17 pm IST)