ગુજરાત
News of Monday, 8th March 2021

મોવી ગામની સીમમાં ખેતરમાં લંગર ચઢાવવા જનાર વ્યક્તિને કરંટ લાગતા સ્થળ પર જ મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના મોવી ગામની સીમના ખેતરમાં લંગર ચઢાવવા જનાર વ્યક્તિને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
  પ્રાપ્ત વિગતો અનુસાર હરીસીંગભાઇ જેરમાભાઇ વસાવા (રહે.મોવી નિશાળ ફળીયુ) ની ફરિયાદ અનુસાર રમેશભાઇ જેરામભાઇ વસાવા( ઉ.વ ૪૫ )નાઓ પોતાના ખેતરે બોર મોટર કરેલ હોય અને ખેતરમાં પાણી છોડવા માટે ખેતરમાં ખેતીવાડીનું ટી.સી મુકેલ હોય અને ટીસી થી થોડે દૂર લંગર હોય અને જે લંગરને ચઢાવવા જતા રમેશભાઇને વિજ કરંટ લાગતા તેમનું સ્થળ પર જ મોત થયું હોય સાગબારા પોલીસે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:15 pm IST)