ગુજરાત
News of Monday, 8th March 2021

પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા વગર હિંમતપૂર્વક અમે નિર્ણય બદલ્યો પણ છે : યુ-ટર્ન લેવાની પણ હિંમત દાખવી : વિજયભાઇ રૂપાણી

સરકારે વિકાસની વણથંભી વણઝાર સર્જી : પાંચ વર્ષમાં ૧૭૦૦થી પણ વધુ જનહિતલક્ષી નિર્ણયો કર્યા હોવાનો દાવો કર્યો

અમદાવાદ તા. ૮ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયપાલના આભાર પ્રસ્તાવ પર સંબોધન કરતાં ગુજરાત સરકારે કરેલાં કામોની વણથંભી વણઝાર સર્જી દીધી હતી. તેમણે કહ્યું પણ હતું કે, સરકારે આ પાંચ વર્ષમાં ૧૭૦૦થી પણ વધુ જનહિતલક્ષી નિર્ણયો કર્યા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું કે મારે એ પણ કહેવું છે કે, જયારે પણ અમારો નિર્ણય યોગ્ય ન લાગ્યો હોય અને રજૂઆતો આવી હોય તો પ્રતિષ્ઠાનો બનાવ્યા વગર હિંમતપૂર્વક અમે નિર્ણય બદલ્યો પણ છે. યુ-ટર્ન લેવાની પણ હિંમત દાખવી છે. જેના આપ સૌ સાક્ષી છો.

તેમણે વધુમાં કહ્યું કે, આને જ તો કહેવાય પ્રો એકિટવ, પ્રો પીપલ એચ. રાજહઠ નહીં જનતા જનાર્દનની વાત અમે માનીએ છીએ. હું એટલે જ કહું છું કે નિર્ણાયકતા એ સૌથી મોટું અમોઘ વિકાસનું શસ્ત્ર છે. અનિર્ણાયકતાની સ્થિતિ વિકાસના શ્વાસને રૃંધતી હોય છે. અમે ફટાફટ અને સટોસટ નિર્ણયો લઇને વિકાસના શ્વાસને રૃંધાવા દીધો નથી.

તેમણે પ્રારંભ કહ્યું હતું કે, ગતિશીલતાના પાયામાં નિર્ણાયકતાંનો બહુ મોટો રોલ હોય છે. અમારી સરકાર ઢચુપચુ સરકાર નથી, નિર્ણાયક સરકાર છે. અમે આંખના પલકારામાં જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે. રોજેરોજ પ્રજાહિતના કાર્યો માટે નવા નવા નિર્ણયો કર્યા છે. રોજેરોજ પ્રજાહિતના કાર્યો માટે નવા નવા નિર્ણયો લઇ તેના અસરકારક અમલીકરણની અમારી નિષ્ઠાને લોકોએ વિશ્વાસપૂર્વક વધાવી છે. અમારા પ્રત્યેક નિર્ણય પાછળ ઓછામાં ઓછી ૩થી વધુ બેઠકો કરીને સૌ કોઇના પરામર્શથી પાકટ નિર્ણયો લીધા છે. અમારી નિયત સાફ છે એટલે જ હિંમતથી જનહિતલક્ષી નિર્ણયો લઇ શકીએ છીએ.

(1:04 pm IST)