ગુજરાત
News of Monday, 8th March 2021

સુરતમાં પતિ માનસિક ત્રાસ આપવા સાથે પત્નીને તરછોડી

તું હજુ શું કામ જીવે છે, આપઘાત કરી લે : પતિ : આયેશાના આપઘાત પાછળ જેવું કારણ હતું એવી ઘટના સુરતમાં બની, શબનમને તરછોડી પતિએ બીજા લગ્ન કર્યા

સુરત, તા. ૭ : તાજેતરમાં અમદાવાદની આયેશા એ પતિના ત્રાસને લઈને આપઘાત કરી લીધો છે. જોકે પતિએ આપઘાત કરતા પહેલા આયેશાને વીડિયો મોકલવાનો કહ્યો હતો અને આયેશાએ હકિતતમાં વીડિયો મોકલી અને રીવરફ્રન્ટ પરથી કૂદી અને જિંદગી ટૂંકાવી લીધી. જોકે આ મામલો હજુતો શાંત નથી થયો ત્યારે અમદાવાદની આયેશાની જેમાં સુરતમાં શબનમ નામની પરણિત મહિલાને તેનો પતિ તરછોડી ને બીજા લગ્ન કરી લઇને આ પરિણીતાને આપઘાત કરવાનું કહે છે. ત્યારે ન્યાય માટે આ પરિણીતા પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે.

ગુજરાતના અમદાવાદમાં આયેશા નામની પરિણીતાને પતિ દહેજ માટે ત્રાસ આપતો હતો. જોકે પોતાના પતિને પ્રેમ કરવા છતાં પતિ પરિણીતાને આપઘાત કરી લેવાનું કહેતો હતો અને આપઘાત પહેલા પોતાનો વીડિયો મોકલવા માટે કહ્યું હતું. જોકે આ પરિણીતાએ એક વીડિયો બનાવી અમદાવાદની સાબરમતીમાં નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ આ મામલે આ પરિણીતાને ન્યાય માટે અનેક લોકો સામે આવ્યા હતા. જોકે આ મામલો તાજેતરમાં ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદની આયેશાની જેમ સુરતની શબાનાને પણ તેનો પતિ માનસિક ત્રાસ આપવા સાથે તરછોડી દીધી છે. જોકે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી નાગોરીવાડમાં રહેતી એક પરિણીતા પર પોતાના પતિ દ્વારા ત્રાસ આપતો હોવાનનું સામે આવ્યુ છે. સુરતની આ યુવતીએ કહ્યું હતું 'હું આયેશા જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહી છું જોકે આ યુવતીના પતિએ રઝળતી મૂકીને અન્ય યુવતી સાથે મેરેજ કરી લીધા હતા અને બીજી પત્ની લઈને ઘરે આવ્યો હતો. ત્યારે શબનમના પતિએ કહ્યું હતું કે 'તું કેમ હજુ જીવે છે આપઘાત કરી લે'  ત્યારે યુવતી ન્યાય મેળવવા માટે લાલગેટ પોલીસ અને કમિશ્નર ના દરવાજા ખખડાવીને ન્યાયની માંગ સાથે   ૪ વર્ષની દીકરી અને પતિ સાથે જીવવું છે પણ પતિ તેને આપઘાત કરી લેવાની શીખ આપી રહ્યો છે.

આ પરિણાતા ન્યાય માટે વલખા મારી રહી છે અને જો ન્યાં નહિ મળે તો તેની સ્થિતિ પણ આયેશા જેવી થશે. જેમાં આખરે આપઘાત કરવાની વારો આવશેય ત્યારે આ પરિણીતાની મદદ માટે સમાજ સેવી સંસ્થા સાથે પોલીસ આગળ આવે નહી તો અમદાવાદ બાદ સુરતમાં પણ આયેશા જેવી ઘટના ઘટતા રાહ નહીં લાગે.

(9:58 pm IST)