News of Friday, 8th March 2019
BTP સહિતના સંગઠનોએ વિવિધ મુદ્દે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું
બંધારણીય હક્કો,ચુંટણી કાર્ડ અને અન્ય કાર્ડ જેવું બજેટ કાર્ડ સહિતના પ્રશ્નો ઉકલેવા રજૂઆત
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટી, ભીલીસ્તાન ટાઈગર સેના અને યુથ પવાર સહિતના આદિવાસી સંગઠનો આગેવાન અનીલ ભગત, પ્રકાસ દેસાઈ અને રજની વસાવા દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બંધારણીય હક્કો,ચુંટણી કાર્ડ અને અન્ય કાર્ડ જેવું બજેટ કાર્ડ આપવામાં આવે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે અમુક લોકો દ્વારા આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકાર આદિવાસી સમાજના હિત માટે યોગ્ય પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે
(12:25 am IST)