News of Wednesday, 8th February 2023
અમદાવાદમાં અર્બન-20 બેઠક: દેશ વિદેશના ડેલિગેટ્સે અડાલજની વાવની મુલાકાત લીધી
અર્બન-20 બેઠકની પ્રાથમિકતાઓમાં જળ સુરક્ષાનો પણ સમાવેશ
અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે.દેશ વિદેશના ડેલિગેટ્સનું આગમન શરૂ થઈ ગયું છે. 35થી વધુ વિવિધ દેશના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે.
ડેલિગેટ્સે અડાલજની વાવની પણ મુલાકાત લીધી હતી. અર્બન-20 બેઠકની પ્રાથમિકતાઓમાં જળ સુરક્ષાનો પણ સમાવેશ થાય છે ત્યારે સેંકડો વર્ષ જૂની અડાલજની વાવની મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.
(9:20 pm IST)